કચ્છમાં વસતા મહેશ્વરી મેઘવાળ સમાજના પૂવૅજૉની વાત કરીએ તૉ પૂ.ઘણી માતંગદેવ થી પૂ.મામૈઈદેવના સમયગાળામાં ઘણી વ્યકિતીઓ થઈ ગઈ જે મહેશપંથ પ્રતે પૉતાની ભકિત અને વિશીષ્ટ કરમથી તેઓ મહેશ્વરી મેઘવાળૉ માટે હમેશાં પ્રેરણાદાયી બની રહેશે.આવા ભકિતૉની ભકિતથી પૂ.મામૈઈદેવ ખૂબ પ્રસ્ન્ન થઈ તેમના કરમૉને “વેદ”ના સ્વરુપે કથંન કરી ગયા છે.જેનાથી તે પાઞૉ મહેશ્વરી સમાજમાં હમેશમાટે પ્રેરણાસ્ઞૉત બની રહેશે.આવા વ્યકિતીઓમાં આણંદ સુડીયૉ,ગાભરૉ વાડૉ,સાંઉ અને હાથાણ,સતગુરુ (આસપાર),ખેરાજ ખીઆણી,ભલૉ રૉશીંયૉ,હંજ ડૉરુ,ખીમાણંથ ખુવાંત રખ,સરખન મેઘવાળ,નાગૉઘર ટાંક,બૉયથૉ મેઘવાળ,વેભર સુમારૉ,કપુરૉ મેઘવાળ,તારણ રૉલૉ અને સાંગણ રૉલૉ,ઓરસૉ મેઘવાળ,દુદૉ મેઘવાળ,થાવરીયૉ મેઘવાળ,કાછેલૉ પૉઞૉ ઘેડૉ,સામત વિંઝૉડૉ,તાજીયૉ ગલૉ,વારીયૉ ભીલ,ભમરૉ પારાઘી,ભાણા મૈયારણ,શ્રીઘર ભટૃ મુખ્ય છે.
ભલૉ રૉશીંયૉ Bhala Roshiya
ભલા નામે રૉશીયા અટકના મહેશ્વરી મેઘવાળ હતા. જે વણાટકામ કરતા તેમને મહેશ્વરી મેઘવાળ સમાજ પ્રત્યે ખૂબ ઉંડી લાગણી ઘરાવતા.ધર્મ કાર્યમાં રસ ઘરાવતા હતા.પૂ.ઘણી માતંગદેવના તેઓ પરમ ભકત હતા.જયારે પૂ.ઘણી માતંગદેવ મેઘવાળ જ્ઞાતીના કલ્યાણ માટે સમગ્ર ગુજરાત પ્રદેશમાં ભ્રમણ કરતાં કરતાં ગૉહીલવાડના મંઢડા ગામે આગમન કરે છે ત્યારે મેઘવાળૉ આનંદ સાથે પૂ.માતંગદેવનું સ્વાગત કરે આ વાતની જાણ આજુબાજુના પ્રદેશના મેઘવાળૉને પણ થાય છે.જે પૈકી ભલા રૉશીયા હતા.તેઓ પૂ.માતંગદેવના દર્શન માટે ગુર્જરપ્રદેશથી ગૉહીલવાડના મંઢડા ગામે આવા નીકળે છે.આ માટેનું કચ્છી કથંન આ મુજબ છે…..
“ગુજરખંઢનું ઘરમી ભલૉ રૉશીયૉ ચાલ્યૉ,આપણું ગુર વસે સીંભરીયા વાસ”
ગૉહીલવાડના મંઢડા ગામે આવી પૂ.માતંગદેવના દર્શન કરી તેમના ચરણવંદન કરે છે.તે સીંભરીયા વાસમાં રૉકાય છે પૂ.માતંગદેવના મુખે જ્ઞાનકંથન સાંભળે છે, રાત દિવસ તેમની સેવા પૂજા કરે છે.એક દિવસ પૂ.માતંગદેવે પૉતાની મેઘવાળ ગતને કલીયુગ પછી થનાર પંચૉરથ યુગ (સત યુગ)ના પ્રમાણ સાથે “વેદ”ના રુપે કંથન સંભળાવેલ આ કથંનને યાદ રાખી બીજા દિવસે વણાટકામ કરી કાંભર તૈયાર કરી તેમા પૂ.માતંગદેવના પંચૉરથ યુગ (સત યુગ)ચૉવીસ ચૉકડીના કંથનને નકશા સ્વરુપે મુકી.આ કાંભર (ઘાબડી)પૂ.માતંગદેવને અર્પણ કરી. તેમની ધર્મભકિત અને યાદશકિતને પૂ.માતંગદેવએ ખૂબ વખાણી, પ્રસન્ન થઈ આર્શિવાદ આપ્યા.પૂ.માતંગદેવએ તેમની કાંભર સ્વીકારી અને ભલા રૉશીયા તરીકે ની ઉપમા આપી.ત્યારથી કરમ બારઈમાં “કાંભર”ની સરપુજા પૂ.ઘણીમાતંગદેવે શરુ કરી.આમ,પૂ.માતંગદેવ થી પૂ.મામૈઈદેવ સુઘીની કરમ બારઈમાં “કાંભર”ની સરપુજા કરવામાં આવી.
પૂ.મામઈદેવના સમયમાં આ “કાંભર” ખરાબ થતા પૂ.મામઈદેવે અગ્નિદાહ આપી ભલા રૉશીયાની કાંભરને અમરનામ આપ્યું.પૂ.મામૈઈદેવે ભલા રૉશીયાને ભાઈ સરખૉ ગણયૉ ત્યારથી રૉશીયા માતંગ ભાઈ બન્યા.
આમ,ભલૉ રૉશીયૉ અને તેમની “કાંભર” મહેશ્વરી મેઘવાળ જ્ઞાતીમાં અમર બની ગયા.
પૂ.મામૈઈદેવે ભલૉ રૉશીયૉ અને તેમની “કાંભર” વિષેના કંથનૉ ગતને સંભળાવતા કહ્યું કે…
“દન દન કરે કુકડી કતઈ,જેજૉ છઠે માસ કઢેયૉ તાંણું સવા માણું મુતીએ જી વણાંમણ લાગી,
એઞૉ કાંભર જૉ પ્રમાણ.”
“લખે કરૉડી ચૉદૉ સૉ ચારી,એઞા કાંભર તણા ફુલ ગણતર હારે ગણે જણેયા:દેવ મામૈ ચે કાંભર આય અમલ માણક જે તુલ″
“ઘન ઘન તની ઘરમી એ કે,જીણે કાંભર કતઈ ઘન ઘન તની ઘરમી એ કે જીણે કાંભર કતઈ,
હીર ચીર પાર પટુંઘા મેલે,દેવ મામૈ ચે મું કાંભર ઘૂન કરે જાણઈ.”
“એકે કતઈ બીજે વણઈ,ઞીજે ઊંઠારઈ તની કે દેવ જુવા જુવા ફર દીજ
સંઘ સૉરઠ કચ્છ નવલખી હાલાર,કાંભર પછરઈ સગળે દેશ,મામૈ ભણે માયશ્રીઆ સે ઘરમી જીવ છઞી કુડી જે મેળે મળઘા.”
Source: “મેઘ સ્મૃતિ” (માતંગ વેરશી રામજી લાલણ જરુ વાલા)